Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લખનઉમાં બની દુઃખદ ઘટના : એક મકાન ધરાશાયી થતાં એક પરિવારનાં 3 બાળકો સહિત 5નાં મોત નીપજ્યાં

  • September 16, 2023 

ઉત્તરપ્રદેશનાં લખનઉમાં એક મોટી દુર્ઘટના બની છે જેમાં એક મકાનની છત ધરાશાયી થતા પાંચ લોકોના કરૂણ મોત થયા છે. આ દુર્ઘટના આલમબાગની રેલવે કોલોનીમાં થઈ છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રેલવે કોલોની સ્થિત ઘરની છત ધરાશાયી થતા એક જ પરિવારના 3 બાળકો સહિત 5ના મોત થયા છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક કરૂણ ઘટના બની છે જેમાં મકાનની છત ધરાશાયી થતા એક જ પરિવારના પાંચ લોકોની મોત થઈ હતી. આ ઘટનાની જાણકારી પોલીસ તેમજ NDRFની ટીમને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કાટમાળમાંથી દટાયેલા લોકોને કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના આલમબાગ રેલવે કોલોનીમાં થઈ હતી. મકાન ખુબ જ જર્જરિત હતું. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. આ ઘટના મોડી રાતે બની હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News