Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરાનાં માંડવી-પાણીગેટ રોડ પર એક મકાન ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાયો

  • July 28, 2023 

વડોદરા ચાર દરવાજા વિસ્તારમાં આજે સવારે એક મકાન ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. માંડવી-પાણીગેટ રોડ પર આજે સવારે 12 વાગ્યાનાં અરસામાં એક મકાનનો ભાગ ધરાશે થયું મુખ્ય માર્ગ ઉપર પડતા એક મહિલાનો બચાવ થયો હતો. બનાવને કારણે મેઇન રોડ પરનો એક તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડ પણ આવી ગઈ હતી અને તપાસ દરમિયાન પાછળના મકાનના પાછળના ભાગે પણ કેટલોક ભાગ ધરાશાયી થયો હોવાનું જણાય આવ્યું હતુ. મેઇન રોડ પરનો એક બાજુનો ટ્રાફિક બંધ થતાં ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસે વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાની કામગીરી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application