Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લામાં આજે કોરોના ના ૦૯ કેસ

  • October 20, 2020 

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે. જિલ્લા માં સોમવારે નવા ૦૯ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

 

આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૦૯ દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની-૦૪ વાઘડિયા ૦૧ અને તિલકવાળા ના જલોદરા ગામે ૦૪ મળી નર્મદા જિલ્લા માં કુલ-૦૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.

 

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે,જ્યારે ૦૮ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૯ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૩૦ દર્દી દાખલ છે.આજે ૦૪ દર્દી સાજા થતા કોવિડ હોસ્પિટલમાં થી રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૦૬૫ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૧૧૩૫ એ પહોચ્યો છે. આજે વધુ ૫૭૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application