Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ ત્રણ લોકોનાં મોત, પરિવારમાં છવાઈ શોકની લાગણી

  • November 25, 2023 

રાજકોટમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ જ લેતો નથી. રેલનગર, લોધીકાના પાળ ગામે અને ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા યુવાન સહિત ત્રણનાં હાર્ટએટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી. રેલનગરમાં આસ્થા ચોક પાસે ટેનામેન્ટમાં ભાડે રહેતાં ભાવેશભાઈ ધીરૂભાઈ ગોહેલ (ઉ.વ.27) એકાએક બેભાન થઈ જતા સિવિલમાં ખસેડાયા હતા. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. મૃતક ઘર નજીક દુધનો ધંધો કરતા હતા.



મૃતકને હાર્ટ એટેક આવ્યાનું પ્ર.નગર પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. બીજા બનાવમાં લોધીકાના પાળ ગામે વાડીમાં રહી ખેતમજુરી કરતા મુળ દાહોદનાં કેશુભાઈ સરતાનભાઈ મોહનીયા (ઉ.વ.૫૧) રાત્રે એકાએક બેભાન થઈ જતા રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. મૃતકને હાર્ટએટેક આવી ગયાનું લોધીકા પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. ત્રીજા બનાવમાં ગાંધી ગ્રામના ભારતીનગરમાં રહેતા રામજીભાઈ વાઘજીભાઈ સોલંકી (ઉ.વ.46) ઘરે હતા ત્યારે ઉલ્ટી થયા બાદ બેભાન થઈ જતાં સિવિલમાં ખસેડાયા હતા. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. મૃતકને હાર્ટ એટેક આવી ગયાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું. ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application