Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ-મહેસાણા હાઈવે પર કાર અડફેટે ત્રણ શ્રમિકોનાં ઘટના સ્થળે મોત, કાર ચાલક સામે ગુનો દાખલ

  • June 05, 2023 

અમદાવાદ મહેસાણા હાઈવે ગફલતભરી ગતિએ આવેલી એક કારે ત્રણ શ્રમિકોને અડફેટે લેતાં ત્રણેયના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. ત્રણેય શ્રમિકો રસ્તો ક્રોસ કરી રહ્યાં હતાં આ દરમિયાન કારની ટક્કરથી તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ રાહદારીઓનાં ટોળા ઉમટી પડ્યાં હતાં અને તેમણે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નંદાસણ હાઇવે ઉપર આવેલા બિલેશ્વરપુરા પાટિયા નજીક અકસ્માત થયો હતો. જોકે ત્રણ રાહદારીઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા. જે દરમિયાન અમદાવાદ તરફથી આવી રહેલી શિફ્ટ કારએ ધડાકા ભેર ટક્કર મારી હતી. જ્યાં ત્રણેય જણા રોડ ઉપર પછડાયા હતા અને ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માત થતા લોકોના ટોળેટોળા ઉંમટી પડ્યા હતા અને કલોલ પોલીસને જાણ કરવામાં આવી હતી.


ઘટના સ્થળે પોલીસ આવીને કાર્યવાહી કરી હતી. ત્રણેય રાહદારીઓ જોટાણા તાલુકાના મુદરડા ગામના વતની હોવાનું બહાર આવ્યું છે. પોલીસ ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા કાર ચાલક સામે ફરિયાદ નોંધીને તપાસ ચાલુ કરી દીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News