Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પતિના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા પી લઈ જીવન ટુંકાવ્યું

  • July 19, 2021 

નર્મદાનાં નાંદોદ તાલુકાનાં ખાખરીપરા ગામમાં પતિને અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાથી પત્નીને ત્રાસ આપતા પત્નીએ ઝેરી દવા પી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રસીકભાઈ કલમભાઈ વસાવા (રહે.ખાખરીપરા ગામ) નાએ અશ્વિનભાઈ ચુનીલાલભાઈ વસાવા વિરુદ્ધ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, તરોપા ગામની એક મહિલા સાથે પ્રેમ સંબધ હોવાથી અશ્વિનભાઈ પોતાની પત્ની નીતાબેનને ત્રાસ આપી પ્રેમિકાને પત્ની તરીકે રાખવા માંગતા હતા જેથી પત્ની સાથે વારંવાર ઝઘડો કરતા હતા અને શારીરિક તેમજ માનસિક રીતે ત્રાસ પણ આપતા હતા. અશ્વિનભાઈએ ગત તા.14મી જુલાઈના રોજ પત્ની સાથે ઝઘડો કરી અને મારમારી બાળકો સાથે તેમના પિયર મૂકી આવ્યા હતા. જ્યાં નીતાબેન પતિના કાયમી માનસિક ત્રાસથી કંટાળી જઈ બપોરના સમયે જંતુનાશક ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા આમથેલા પોલીસે પતિ અશ્વિન વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application