Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પત્નીએ પતિ માટે ભાત નહીં બનાવ્યો અને પછી જે થયું.........

  • August 19, 2023 

મુંબઈની નજીક આવેલા થાણેમાં પત્ની સાથે થયેલાં વિવાદને પગલે ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીની મારપીટ કરી હતી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.પત્નીએ પતિ માટે ભાત નહીં બનાવ્યો હોવાને કારણે શરૂ થયેલો ઝઘડો એટલો બધો વધી ગયો કે ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીને લાકડીથી મારવાનું શરું કર્યું અને આખરે પત્નીનું મૃત્યુ થયું હોવાની માહિતી સામે આવી રહી છે.



થાણેના ભિવંડી ખાતે ખોણી ગાવમાં આવેલી એક ચાલીમાંથી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી 23 વર્ષીય રદી વેપારી છે અને તેની ઓળખ શંકર વાઘમારે તરીકે કરવામાં આવી છે. એક વર્ષ પહેલાં જ શંકરે 20 વર્ષની જ્યોત્સના સાથે લગ્ન કર્યા હતા. કપલ ભિવંડીની એક ચાલીમાં રહેતું હતું.મંગળવારે જ્યોત્સનાએ ભાત ન બનાવતા શંકરે તેની સાથે ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું અને આખરે આ ઝઘડો હાથાપાયી સુધી પહોંચી ગયો હતો.શંકરે જ્યોત્સનાને લાકડીથી મારવાનું શરું કર્યું અને એટલું બધું માર્યું કે લોહીલુહાણ થઈને જ્યોત્સનાનું મૃત્યુ થઈ ગયું.નિઝામપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.




આ પ્રકરણે તપાસ કરી રહેલાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી મંગળવારે ઘરે આવ્યો હતો અને ભાત ન બનાવવાને કારણે પત્ની સાથે ઝઘડો કર્યો હતો.બંને વચ્ચે ઝઘડો એટલો બધો વધી ગયો હતો કે આરોપીએ પત્નીને માર મારવાનું શરૂ કર્યું અને એટલું બધું માર્યું કે એ જ સમયે પત્નીનું મૃત્યું થઈ ગયું.પડોશીઓ બંનેના ઝઘડાને ઉકેલે ત્યાં સુધી ખૂબ જ મોડું થઈ ગયું હતું અને જ્યોત્સના લોહીના ખાબોચિયામાં પડી રહી અને તેનું મૃત્યુ થઈ ગયું હતું,એવું અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું. આ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગામી તપાસ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application