Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા તે સમયે પથ્થરમારની ઘટના બની

  • December 08, 2023 

વંદે ભારત ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ વખતે રાજકોટમાં આ ઘટના બની હતી. જોકે અહીં મહત્ત્વપૂર્ણ એ છે કે, જ્યારે પથ્થરમારાની ઘટના બની ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. માહિતી અનુસાર રાજકોટના બિલેશ્વર સ્ટેશનની નજીકમાં જ આ પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટના રાતે બની હોવાની માહિતી છે. પથ્થરમારાને કારણે ટ્રેનમાં કાંચને નુકસાન થયું હતું. જોકે કોઈ મોટી હાનિના અહેવાલ નથી. આ મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વંદે ભારતમાં મુસાફરી અંગે હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને કેટલીક તસવીરો પણ શેર કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application