Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈમાં કોવિડના રોજિંદા 20 હજાર કેસ થશે તો લોકડાઉન મુકાશે

  • January 05, 2022 

મુંબઈમાં કોરોનાના અને ઓમીક્રોનના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. આના પગલે મુંબઈની શાળાઓ તા.૩૧ જાન્યુઆરી-૨૦૨૨સુધી બંધ પણ રાખવાનું મુંબઈ મહાનગર પાલિકાએ જાહેર કર્યું છે. પાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલ મુંબઈની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. જો શહેરમાં કોવિડ-૧૯ કેસ દરરોજ ૨૦ હજારથી વધી જાય તો તેમણે લાકડાઉન વિશે પહેલેથી જ સંકેત આપતા મુંબઈના મેયર કિશોરી પેડનેકર જણાવ્યું હતું. આજે, કોઈ પણ લોકડાઉન ઇચ્છતું નથી અને તે ચોક્કસપણે લાદવું જોઈએ નહીં, કારણ કે હમણાં જ દરેક જણ તેમાંથી સ્વસ્થ થયા છે. જો લોકડાઉન ફરીથી લાગુ કરવામાં આવશે, તો તે દરેકને ખરાબ રીતે અસર કરશે. એમ પેડનેકરે જણાવ્યું હતું.કોરોનાનો ચેપ ને રોકવા માટે નાગરિકોએ સરકારે મુકેલા પ્રતિબંધનો કઠોર રીતે પાલન કરવાનું જરૃરી છે. અન્યથા દંડાત્મક કાર્યવાહી કરાશે એમ મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું. કોરોના ફેલાતો રોકવા બજારો, મોલ્સ અને લગ્ન સમારંભોમાં વધુ ભીડ ટાળવા અને યોગ્ય રીતે માસ્ક પહેરવાની અપીલ મેયર કરી હતી. મેયરે લોકોને નિયમો અનુસાર લગ્ન સમારંભો યોજવા અને આવી ઘટનાઓ કોવિડ-૧૯ સુપર સ્પ્રેડર સાબિત ન થાય તેની તકેદારી રાખવામાં આવે એવી અપીલ મેયર એ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application