Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉધનામાં મજુરને ધાકધમકી આપી લુટી લેવાયો ,૩૩૦૦ લૂંટી નાસી ગયો

  • September 03, 2020 

ઉધના બી.આર.સી રાજેશ્વર પ્લાઝા પાસે જાહેરમાં ઉભેલા મજુરને બાઈક પર આવેલા લુંટારૂઓએ આઈ કાર્ડની માંગણી કરી તેરી જેબ મે ઓર ક્યા હે નિકાલ વરના દો જાપટ દુંગા હોવાની ધમકી આપી રોકડા રૂ. ૩, ૩૦૦ લૂંટી નાસી ગયો હતો.

 

બમરોલી રોડ શ્રીરામનગર ખાતે રહેતા ૬૫ વર્ષીય સેનપાડુ નિલકંઠ પાટીલ ગત તા ૩૦મીના રોજ બપોરે ત્રણ વાગ્યે બીઆરસી રાજેશ્વર પ્લાઝાની બહાર ઉભો હતો તે વખતે બાઈક પર અજાણ્યો આવ્યો હતો અને સેનપાડુ પાસે આઈ કાર્ડની માંગણી કરી હતી જેથી સેનપાડુઍ આઈ કાર્ડ બતાવતા અજાણ્યાઍ તેરી જેબ મે ઔર કયા હે નિકાલ વરના દો જાપટ દુંગા હોવાનુ કહેતા સેનપાડુઍ પેન્ટના ખિસ્સામાંથી રોકડા ૩૩૫૦ કાઢી બતાવતા અજાણ્યાઍ હાથમાંથી લૂંટી  ભાગવા જતા ૫૦ની નોટ પડી જતા ૩૩૦૦ લૂંટી નાસી ગયો હતો. પોલીસે સેનપાડુ પાટીલની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application