Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગામી તારીખ 1 ઓક્ટોબરથી શરૂ થતી ક્રશિંગ સિઝન દરમિયાન ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે

  • September 29, 2023 

તારીખ 1 ઓક્ટોબરથી શરૂ થતી આગામી ક્રશિંગ સિઝન દરમિયાન ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે છે. સરકારી અધિકારીએ 28 સપ્ટેમ્બર એક અહેવાલમાં જણાવ્યું કે, નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ અંગેનું નોટિફિકેશન જારી થવાની આશા છે. ખાંડની સીઝન દર વર્ષે 1 ઓક્ટોબરે શરૂ થાય છે અને બીજા વર્ષે 30 સપ્ટેમ્બરે પૂરી થાય છે. ભારતે નાણાકીય વર્ષ 2022માં રેકોર્ડ 11 મિલિયન ટન ખાંડની નિકાસ કરી હતી. જોકે નાણાકીય વર્ષ 2023માં દેશમાં ખાંડના ભાવને નિયંત્રિત કરવા અને પુરવઠો સુનિશ્ચિત કરવા માટે નિકાસની માત્રા મર્યાદિત કરી હતી. 'નાણાકીય વર્ષ 2023 ખાંડ વર્ષની શરૃઆતમાં સરકારે ખાંડની નિકાસનો જથ્થો લગભગ 6 મેટ્રિક ટન સુધી મર્યાદિત રાખ્યો હતો. જોકે વધતી કિંમતો સાથે સ્થાનિક બજારમાં ભાવ નીચા રાખવા આ ક્વોટા પણ તબક્કાવાર સમાપ્ત કરવામાં આવી રહ્યો છે,' તેમ એક અધિકારીએ મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું.



આ ચોમાસાની સિઝન દરમિયાન દેશના ખાંડ ઉત્પાદનનો અડધો હિસ્સો ધરાવતા મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહ્યો છે. ઘણા ટોચના શેરડી ઉત્પાદક જિલ્લાઓમાં પણ વરસાદ સરેરાશ કરતાં 50 ટકા ઓછો હતો. જોકે તાજેતરમાં વરસાદની સ્થિતિમાં સુધારો થયો છે. 31 ઓગસ્ટ સુધી સમગ્ર દેશમાં વરસાદ સામાન્ય કરતા 10 ટકા ઓછો હતો, જે 25 સપ્ટેમ્બરે ઘટીને 5 ટકા થયો હતો. જોકે તેમ છતાં શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થવાની આશંકા દૂર થઈ શકતી નથી. નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે તાજેતરમાં શેરડીના ઉત્પાદન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતમાં શેરડીનું 'સારું ઉત્પાદન' છે, પરંતુ તેનો મોટો હિસ્સો ઇથેનોલ બનાવવા માટે વપરાય છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ખાંડ ઉત્પાદક અને મુખ્ય નિકાસકાર છે. જોકે, તાજેતરના વર્ષોમાં ઇથેનોલ બનાવવા માટે શેરડીના પાકનો મોટા ભાગનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત ભારત તેના માટે ફ્યુઅલ પ્લાન્ટ લગાવવા પર પણ ભાર આપી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application