Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પરની મર્યાદાને વધુ એક વર્ષ લંબાવવાનો નિર્ણય કર્યો

  • October 30, 2022 

દેશમાંથી ખાંડની નિકાસ પરની મર્યાદાને કેન્દ્ર સરકારે વધુ એક વર્ષ લંબાવવાનો નિર્ણય કર્યો છે. ઘર આંગણે ખાંડની ઉપલબ્ધતા જળવાઈ રહે અને ભાવ કાબુ હેઠળ રાખી શકાય તેવા હેતુ સાથે ખાંડની નિકાસ પર નિયંત્રણ મૂકવામાં આવ્યા છે. સપ્ટેમ્બરમાં સમાપ્ત થયેલી ખાંડ મોસમ માટે કુલ 1.12 કરોડ ટન્સ ખાંડની નિકાસ પરવાનગી અપાઈ હતી. અગાઉના નિર્ણય પ્રમાણે આ નિયંત્રણ 31મી ઓકટોબર સુધીના હતા જેને હવે 2023ની 31 ઓકટોબર સુધી લંબાવવામાં આવ્યા છે.




જોકે ચોકકસ સ્કીમ હેઠળ યુરોપ તથા અમેરિકા ખાતે ખાંડની કરાતી નિકાસને આ મર્યાદાઓ લાગુ નહીં થાય એમ ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જારી કરાયેલ નિવેદનમાં જણાવાયું હતું. વિશ્વમાં ભારત ખાંડનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને બીજો મોટો નિકાસકાર દેશ છે. 2021-22ની ખાંડ મોસમ માટે સરકારે કુલ 1.12 કરોડ ટન્સ ખાંડની નિકાસને પરવાનગી આપી હતી. વર્તમાન વર્ષના મેમાં સરકારે ખાંડનો નિકાસ કવોટા જાહેર કર્યો હતો. જે હેઠળ એક પ્રથમ એક કરોડ ટન્સ ખાંડની નિકાસ છૂટ અપાઈ હતી. દરમિયાન નવેમ્બર મહિના માટે સરકારે ખાંડ મિલો માટે 22 લાખ ટન ખાંડનો કવોટા જારી કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application