Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભીમપોર: ૨૬ વર્ષીય યુવકના મોતનું કારણ પીએમ રિપોર્ટ મુજબ ખેંચ હતી

  • January 01, 2021 

વાલોડ તાલુકાના ભીમપોર ડુંગરી ફળિયાનો પોહાલાભાઈ ઉર્ફે સુધીરભાઈ ગામીતનું મોત પ્રકરણમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક ઉઠી રહ્યા હતા. પોહાલાભાઈ ઉર્ફે સુધીરભાઈ દિલિપભાઈને ત્યાં સુવા જવાનું કહી મોરદેવી હળપતિવાસ પાસે આવેલ ભીખાભાઈ લાછાભાઈ ચૌધરીના ખેતરમા યુવકની લાશ મળી આવી હતી. યુવકનું પીએમ અલગટ અને કલમકુઈ પીએસસીના એમઓએ કર્યું હતું. પીએમ કરનાર ડોક્ટર ચિરાગ પટેલના જણાવ્યા મુજબ જીભ કચડાઈ ગયેલી હોય પણ ઝેર પીધું હોય એવું લાગતું નથી ઇન્જરી પણ નથી પરંતુ કદાચ રાત્રે ઠંડીમાં પડી ગયો હોય અને ખેંચ આવી ગઈ હોય પણ સમય પર કોઈ સહાય ના મળતા કદાચ મૃત્યુ થવાનું અનુમાન પ્રાથમિક તબક્કે ડોકટર કહી રહ્યા છે છતાં પ્રશ્ન એ થાય છે કે બે સ્વેટર પૈકી એક સ્વેટર લાશ પાસેથી મળ્યું એ કોનું હતું? બુટ કેમ કાઢ્યા હતા? સ્થળ પરથી દારૂનું સેવન કર્યું હોય એવી બોટલો મળી નથી. ખેંચ આવે તો લથડીયો ખાતો અને અસ્તવ્યસ્ત પડી ગયો નજરે પડે. સ્થળ પર યુવકની લાશ કોઈ સીધી જોવા મળી ન હતી. આ સમગ્ર ઘટનામાં યુવકના મોતની શંકાનું રહસ્ય ઘેરાય રહ્યું છે.

 

 

 

પોલીસ ઇન્વેસ્ટીગેશન ઓફિસર માટે પરિવારના નિવેદન, મોરદેવી તથા ભીમપોરની લોકેશન કોલડીટેલ મહત્વની બની રહેશે. બાકી હાલ તો ડોકટરો મોત ખેંચથી થયું હોવાનું અનુમાન લગાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application