Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુવકની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળતા ચકચાર,આડા સબંધ ની શંકાએ હત્યાને અંજામ અપાયા હોવાનું અનુમાન

  • October 19, 2022 

અંકલેશ્વર ઉમરવાડા ગામ સીમમાં શેરડી ના ખેતર માંથી હત્યા કરાયેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળતા ચકચાર,આડા સબંધ ની શંકાએ હત્યા કરાઇ હોવાનું અનુમાન..!! પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ મથક ની હદ વિસ્તારમાં આવેલ ઉંમરવાડા ગામની સીમમાં શેરડી ના ખેતર માંથી લોહી લુહાણ હાલતમાં અંકલેશ્વર ના કાપોદ્રા મંદિર ફળિયા વિસ્તારમાં રહેતો જીગર વસાવા નામના યુવક નો મૃતદેહ મળી આવતા મામલે ભારે ચકચાર મચી હતી,જીગર વસાવા ને ગળા તેમજ શરીર ના અન્ય ભાગો ઉપર કોઇક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે,ગામ ના જ એક સ્થાનિકે મામલે જીગર ના પરિવાર ને ગત સાંજે જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો,જે બાદ ઘટના અંગેની જાણ પરિવાર જનો દ્વારા પાનોલી પોલીસ મથકમાં કરવામાં આવી હતી.



પાનોલી પોલીસ મથકે ઘટના અંગેની જાણ થતાં જ પોલીસે સ્થળ પર દોડી જઈ મૃતક જીગર વસાવા ની લાશ નો કબ્જો લઇ મૃતકની લાશ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી હતી,સાથે જ મામલે પરિવાર જનો ના નિવેદન લઇ તપાસ શરૂ કરવામાં આવી છે,જેમાં મૃતક જીગર વસાવા ના પરિવાર જનોએ આડા સબંધની શંકા માં આ હત્યાને અંજામ અપાયો હોવાની શંકાઓ પોલીસ ફરિયાદમાં વ્યકત કરી છે, જીગર વસાવાના પરિવાર જનોનું જણાવવું છે કે કાપોદ્રા ગામ ખાતે ના મંદિર ફળિયા વિસ્તારમાં તેઓના પાડોશ માં જ રહેતા રાકેશ ઝવેરભાઈ વસાવાની પત્ની ચંદા સાથે એકાદ વર્ષ પહેલાં જીગરનો પ્રેમ સંબંધ હતો જે બાબતની જાણ થતાં બંને પરિવારો વચ્ચે ઝઘડો થતા બાદ માં બંને પક્ષે સમાધાન થયું હતું,




ત્યાર બાદથી મૃતક જીગર ને ચંદા સાથે કોઈ પ્રેમ સંબંધ ન હોવા છતાં તેને અવારનવાર શંક રાખીને રાકેશ વસાવા તથા તેનો સાળો રાકેશ ઉર્ફે ટીનો વિનોદભાઈ વસાવા નાઓ જીગર ને ગાળો બોલી તેમજ ફોન પર અવારનવાર ધમકીઓ આપતા હતા, જે બાદ ગત તારીખ ૧૬/૧૦/૨૦૨૨ ના રોજ બપોર ના સમયે મૃતક જીગર વસાવા ઉપર કોઈ નો ફોન આવતા તે જોર જોર થી બોલવા લાગ્યો હતો અને હું થોડી વાર માં આવું છું કહી ઘરે થી બાહર ગયા બાદ આવ્યો ન હતો જે બાદ ગત રોજ બપોર ના સમયે ગામ માંજ રહેતા હરીશભાઈ સુમેરભાઈ વસાવા નાઓએ જીગર ના પરિવાર જનોને જાણ કરી હતી કે તેઓનો પુત્ર જીગર ઇજાગ્રસ્ત હાલત માં ઉમરવાડા નજીક ખેતર માં મળી આવ્યો છે,જે ઘટના ની જાણ થતાં પરિવાર જનોએ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ મામલે પાનોલી પોલીસને જાણ કરતા પોલીસે પરિવાર ની શંકા ના આધારે રાકેશ ઝવેરભાઈ વસાવા રહે,કાપોદ્રા અંકલેશ્વર તેમજ રાકેશ ઉર્ફે ટોની વિનોદભાઇ વસાવા રહે,ભરાડિયા,વાલિયા નાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News