Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં જ્ઞાન સહાયક યોજના રદ કરવાની માંગ સાથે ટેટ-ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું

  • July 15, 2023 

તાપી જિલ્લામાં જ્ઞાન સહાયક યોજના રદ કરવા અને ટેટ-ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોને કાયમી ભરતી કરવા અંગેનું જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, આ સમયે ટેટ-ટાટ પાસ બેરોજગાર ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લા શિક્ષણાધિકારીને શુક્રવાર નારોજ આપવામાં આવેલ આવેદનપત્ર મુજબ રાજ્યમાં શિક્ષણની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે ગુજરાતનું દરેક બાળક ગુણવત્તા યુક્ત વિશ્વસ્તરીય શિક્ષણ મેળવે તે હેતુથી અને બાળકોનાં ભવિષ્યનાં પૂર્ણ ઘડતર માટે કાયમી શિક્ષણની ભરતી ખૂબ જ જરૂરી છે. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા 26,500 જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે એવું નિર્ણય લેવામાં આવ્યો છે.



જેમાં 11 માસનાં કરાર આધારિત જ્ઞાન સહાયકોને નિમણુંક આપવામાં આવશે જે ગુજરાતનાં બાળકોને ઉમેદવારોના બિલકુલ હિતમાં નથી. જો જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાક વર્ષોથી રાત દિવસ મહેનત કરીને ટેટ ટાટ પાસ કરેલ ઉમેદવારોનું સરકારી શિક્ષણ બનવાનું સ્વપ્ન રોળાઈ જશે અને તેમનું ભાવી અંધકારમય બની જશે. ગુજરાતનાં બાળકોનાં શિક્ષણનાં વિશાળ હિત અને હજારો ટેટ પાસ ઉમેદવારોનાં ઘરમાં કાયમી શિક્ષકની ભરતીરૂપે રોજગારીનો દીવો  પ્રજવલિત કરવા માટે 26,500 જ્ઞાન સહાયક કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ વહેલામાં વહેલી તકે કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે ટેટ-ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોએ તાપી જિલ્લા શિક્ષણાધિકારીને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application