ઉચ્છલમાં માર્ગ અને મકાન વિભાગના ગોડાઉનમાં એકાએક આગ લાગી હતી.ગોડાઉન માં મુકેલ લાકડાનો સમાન અને ગોડાઉનની છત બડીને ખાખ થઈ ગઈ હતી.
આગને કાબુમાં લેવાને માટે નવાપુર અને સોનગઢ ની ફાયર ફાઇટરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી.આશરે દોઢ થી બે કલાક ની જહેમદ બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આગમાં નુકશાની અંગેની કામગીરી કરાઈ રહી છે.
ગોડાઉનમાં જૂનો લાકડાનો સામાન હતો, જે બડીને ખાક થઈ ગયો છે.આગને કારણે કોઈ જાનહાની કે ઇજાઓ થઈ નથી.ગોડાઉન માં વીજ કનેક્શન ન હોવાથી આગ કઈ રીતે લાગી તે અંગે તપાસ હાથ ધરાઈ છે.ઘટના સ્થળે પોલીસ પણ તહેનાત કરી દેવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500