Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Nizar : અજાણ્યા વાહન અડફેટે રાહદારીનું મોત

  • August 06, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : નિઝર તાલુકાનાં દેવાળા ગામેથી વાંકા ચાર રસ્તા પગે ચાલીને શાકભાજી તથા કરિયાણું લઈ જતા એક રાહદારીનું અજાણ્યા વાહન અડફેટે આવતાં ગંભીર ઈજાને કારણે સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.




મળતી માહિતી મુજબ, નિઝર તાલુકાનાં દેવાળા ગામનાં પ્લોટ ફળિયામાં રહેતા ચેત્રામભાઇ આત્મારામભાઇ ઠાકરે (હાલ રહે.ધવલીવીરતા, તલોદા, જિ.નંદુરબાર) નાઓએ ગતરોજ મોડી સાંજે ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે, તેમના પિતા આત્મારામભાઇ ચંદ્રસિંગ ઠાકરે નાઓ દેવાળા ગામેથી વાંકા ચાર રસ્તા પગે ચાલીને બુધવારનાં રોજ શાકભાજી તથા કરિયાણું લેવા માટે આવેલ હતા.




ત્યારબાદ રાત્રીનાં દશેક વાગ્યાના સમયે શાકભાજી તથા કરિયાણું લઇને પરત દેવાળા ગામે જતા હતા.  તે સમયે કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં આત્મારામભાઇ નાને શરીરે જમણી સાઇડે છાતી અને ગળાના ભાગે તથા મોડાનાં ભાગે ગાડી ચલાવી ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.




જોકે આ અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે ચેત્રામભાઇ ઠાકરે નાએ નિઝર પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application