Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના ઢોડિયાવાડના કબ્રસ્તાનમાં મહિલાની દફનવિધિ અંગે સ્થાનિકોએ કર્યો હંગામો

  • March 09, 2021 

વ્યારા નગરનાં ઢોડિયા વાડ વિસ્તારમાં આવેલ ખ્રિસ્તી કબ્રસ્તાન મુદ્દો છેલ્લા કેટલાક સમયથી સળગતો જ રહ્યો છે. કોરોના કાળમાં પણ એક મહિલાના મૃતદેહને દફનાવામાં આવતા સ્થાનિક રહીશોએ વિરોધ પ્રદર્શન કરતા માંડમાંડ મામલો શાંત પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરી પાછું એક મહિલાના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનવિધિ માટે લાવવામાં આવતા આસપાસના સ્થાનિક રહીશોએ વિરોધ કરતા અહી દફનવિધિ ન કરવા બાબતે ભારે હંગામો મચાવ્યો હતો.

 

 

 

આ ઘટના અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ કબ્રસ્તાન અંગેના જરૂરી પુરાવા ટ્રસ્ટીઓ દ્વારા રજુ કરવામાં આવતા ભારે જહેમત બાદ આ સમગ્ર મામલો શાંત પડતા મહિલાની દફનવિધિ વિધિવત રીતે થઈ હતી.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application