નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકામાં દિન પ્રતિદિન દિપડાનો ઉપદ્રવ ઘણો વધી ગયો છે. જયારે તાજેતરમાં ઉભારીયા ગામે દિપડો દેખાયો હતો. સાગબારા જંગલ ખાતાની કચેરી દ્વારા દિપડાને પાંજરે પુરવામાં આવ્યો હતો.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જાવલી ગામનાં મોયલાભાઈ મોગીયા ભાઈ વળવી ગામની સીમમાં આવેલા પોતાના શેરડીવાળા ખેતરમાં પાણી વાળવાનું કામ કરતા હતા અને સાંજના સાડા છ એક વાગેના અરસામાં પાણીની મોટર બંધ કરવા માટે ખેતરમાં આવેલા કુવા પાસે જતાં હતા. તે વખતે જંગલી જનાવર દિપડાએ અચાનક હુમલો કરતાં જાહેરાત આપનારને ડાબા પગના ઘુટણથી નીચેના ભાગે તથા ઘુંટણના ભાગે તથા ડાબા હાથના પંજાના ભાગે તથા કોણીથી ઉપર ભાગે ઈજા પહોંચાડી હતી. આ બાબતે સાગબારા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જંગલ ખાતાની કચેરી દ્વારા સાગબારા તાલુકાના જાવલી ગામની સીમમાં દિપડાને પાંજરે પુરવાની લોકોએ માંગણી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application