Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

TV એક્ટર સિદ્ધાંત સુર્યવંશીનું જીમમાં વર્કઆઉટ કરતા સમયે મોત

  • November 11, 2022 

ફિલ્મી દુનિયાનાં મશહુર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, વૈશાલી ઠક્કર, દિપેશ ભાનના નિધન બાદ હવે ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જેમાં વાત કરીએ તો ‘કસૌટી ઝિંદગી કી’ જેવી લોકપ્રિય સિરિયલોનાં જાણીતા ચહેરા અભિનેતા અને મોડલ ‘સિદ્ધાંત વીર સુર્યવંશી’નું 46 વર્ષની ઉમરે નિધન થયું છે. મળતી માહિતી મુજબ, શુક્રવારે જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેકનાં કારણે સિદ્ધાંતનું મૃત્યુ થયું છે. 

TV એક્ટર જય ભાનુશાલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ ન્યુઝને કન્ફર્મ કર્યા છે તેમને એક્ટર સિદ્વાંત વીરનો ફોટો શેર કરતાં લખ્યુ કે, "ભાઇ તુમ બહુત જલ્દી ચલે ગયે..." મહત્વનું છે કે, જયને પણ આ જાણકારી તેના કોમન મિત્રએ આપી હતી અને કહ્યું કે, વર્કઆઉટ દરમિયાન એક્ટરને અટેક આવ્યો અને તેણે દુનિયાને અલવિદા કહી દીધુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application