Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં ‘સુપોષણ સંવાદ’ કાર્યક્રમ યોજાયો

  • March 22, 2023 

તા.૨૦ માર્ચ ૨૦૨૩થી તા.૦૩ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન પોષણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત ભરૂચના આમોદ તથા અંકલેશ્વર ઘટક દ્વારા તા.૨૦ માર્ચ ૨૦૨૩નાં રોજ પોષણ પખાવાડીયાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ "સુપોષણ સંવાદ"માં સગર્ભા માતા/ ધાત્રી માતાને પ્રથમ વારની સગર્ભાને શ્રીફળ,સાકાર અને કઠોળની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસુતિબાદની સંભાળ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.




ધાત્રી માતા અને બાળકની સંભાળ અંગે આરોગ્ય અને પોષણની સમજ આપવામાં આવી હતી. સ્તનપાનનું મહત્વ તેની સાચી પદ્ધતિ અને ખાસ પરિસ્થિતિઓમાં કેવી રીતે સ્તનપાન કરાવવું તેની સમજ આપવામાં આવી હતી બાળકમાં ૬ માસ પૂરા થયેથી ઉપરી આહારની શરૂઆતનું મહત્વ, આહાર બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે સમજ આપવામાં આવી હતી. આહાર અને પોષણ અંગેની માન્યતાઓ અને વૈજ્ઞાનિક બાબતોની સમજ આપવામા આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News