Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહિસાગરના મોટા ખાનપુરમાં અંધશ્રદ્ધાએ પરણિતાનો ભોગ લીધો, ભુવાજીએ પરણિતાને આકડાં મૂળ પીવડાવતાં બગડી હતી તબિયત

  • October 15, 2024 

રાજ્યમાં સતત વધી રહેલા અંધશ્રદ્ધાના બનાવોને ડામવા માટે રાજ્ય સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો અમલમાં મૂક્યો છે. પરંતુ તેમછતાં હજુ આંતરિયાળ વિસ્તારોમાં ક્યારે ડાકણ હોવાનો વહેમ રાખી ભુવા પાસે વિધિ કરાવવા પહોંચી જતા હોય છે, ત્યારે કેટલાક કિસ્સાઓમાં જીવ ગુમાવવાની નોબત આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો મહિસાગરના મોટા ખાનપુરમાં અંધશ્રદ્ધાએ પરણિતાનો ભોગ લીધો છે. મળતી માહિતી અનુસાર, મહિસાગરના મોટા ખાનપુરમાં એક 28 વર્ષીય પિન્કીબેન રાવળ નામની પરણિતા અંધશ્રદ્ધાનો ભોગ બની હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. વાત જાણે એમ છે કે, પરણિતાને શરીરમાં દુખાવો થતો હોવાથી પરિવારજનો તેને હોસ્પિટલ લઇ જવાના બદલે સગા-સંબંધીઓના કહેવાથી ભુવા પાસે લઇ ગયા હતા.




માલપુરના પીપરાણા પાસે ભુવાજી રહેતા હોવાથી પરણિતાને ત્યાં લઇ ગયા હતા. ત્યારબાદ ભુવાજીએ પરણિતાને આકડાં મૂળ પીવડાવતાં પરણિતાની તબિયત બગડી હતી અને બેભાન થઇ ગઇ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પરણિતાની હાલ વધુ ખરાબ થતાં તેને સારવાર અર્થે પહેલાં મોડાસા લઇ જવામાં આવી હતી. ત્યારબાદ વડોદરા અને પછી અમદાવાદ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે પરણિતાનો જીવ બચી શક્યો ન હતો અને પરણિતાએ અંતિમ શ્વાસ લીધા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ચોમાસું સત્ર દરમિયાન વિધાનસભામાં અંધશ્રદ્ધાવિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું હતું. બિલ મુજબ અંધશ્રદ્ધા કરાવનાર, ઘડનાર અને આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનાર સામે કાયદેસરની કાર્યાવાહી કરવામાં આવશે. આમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનાર કે કરાવનારને જામીન નહીં મળવાની સાથે 6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5 હજારથી 50 હજાર સુધીના દંડની જોગવાઈ છે. જોકે આસામ, કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સંબંધિત કાયદાના અમલ પછી ગુજરાતમાં આ પ્રકારનો કાયદો અમલમાં આવતાં તે 7મું રાજ્ય બનશે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application