Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સિધ્ધપુર અને વડનગર ખાતે પણ એરપોર્ટ વિકસાવવા માટે અભ્યાસ ચાલુ થયો

  • February 09, 2024 

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા નિહાળવા દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય રાજય સરકારે ત્યાં એરપોર્ટ બનાવવાનો નિર્ણય કર્યો હોવાની માહિતી વિધાનસભામાં અપાઈ છે.આ ઉપરાંત સિધ્ધપુર અને વડનગર ખાતે પણ એરપોર્ટ વિકસાવવા માટે અભ્યાસ થઈ રહ્યો છે. વિધાનસભા ગૃહમાં તારાંકિત પ્રશ્ર્નોમાં ધારાસભ્યોના સવાલોના જવાબમાં નાગરીક ઉડ્ડયન વિભાગ દ્વારા જણાવાયુ હતું કે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના મોજે ફેરકુવા અને સુરોવા ખાતે એરપોર્ટ વિકસાવવાની પ્રિફિઝિબિલીટી સ્ટડીની કામગીરી પ્રગતિ હેઠળ છે.તેવી જ રીતે સિધ્ધપુર અને વડનગર ખાતે પણ પ્રિફિઝિબિલિટિ સ્ટડીની કામગીરી ચાલી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application