Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ ખાતે world rememberance day નિમિતે અકસ્માતમાં મૃત્યુ પામેલા સ્વજનોને શ્રધાંજલિ આપવામાં આવી

  • November 16, 2020 

નવેમ્બર માસના ત્રીજા રવિવારને માર્ગ અકસ્માત પીડિત સ્મૃતિ દિવસ યોજવામાં આવે છે. જેમાં વિશ્વભરમાં માર્ગ અકસ્માત માં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવે છે. સાથે જ તેમના સ્વજનો તેઓને યાદ કરે છે. આજે સોનગઢના માંડળ ગામના ટોલનાકા પાસે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી.

 

 

આ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.  world rememberance day નિમિતે તાપી 108 ટીમ તથા આરટીઓ વ્યારા દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને મીણબતી સળગાવી શ્રધાંજલિ આપવામાં આવી હતી. અને મૃતક આત્માઓ માટે 2 મિનીટ નું મૌન પાળવામાં આવ્યું હતું. જેમાં 108 જીલ્લા અધિકારી જ્યોતિદ્ર ચૌધરી તથા આરટીઓ અધિકારી સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application