Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જાણવા જેવું : રસી લેનાર વ્યક્તિથી પણ અન્યને થઈ શકે છે કોરોના-ડો.સત્યજીત રથ

  • April 13, 2021 

નવી દિલ્હીની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈમ્યુનોલોજીના અહેવાલમાં ચેતવણી અપાઈ હતી કે, રસી લઈ લીધા પછી પણ એ વ્યક્તિ અન્યને કોરોનાનો ચેપ લગાડી શકે છે, માટે સાવધાન રહેવું જરૃરી છે. આ સંસ્થાનના ઈમ્યુનોલોજિસ્ટ ડો.સત્યજીત રથે કહ્યું હતું કે, વેક્સિન લીધા પછી પણ સાવધાની રાખવી જોઈએ. સંશોધનમાં જણાયું હતું કે રસી લેનારી વ્યક્તિને કોરોનાથી ખતરો ઘટી જાય છે અથવા તો કોરોના થાય પછી ગંભીર સ્થિતિ મોટાભાગે આવતી નથી. જોકે, એ વ્યક્તિ અન્યને ચેપ ચોક્કસ લગાડી શકે છે.

 

 

 

વેક્સિન લઈ લેવાથી ટ્રાન્સમિશીબિલિટી એટલે કે રોગ ફેલાવવાની શક્યતા ઘટતી નથી. રસી લીધા પછી પણ એ વ્યક્તિ બીજાને કોરોનાનો ચેપ લગાવી શકે છે. આ સંસ્થાના વૈજ્ઞાનિકઓએ કહ્યું હતું કે, વેક્સિન લીધા પછી પણ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. સંશોધકોના કહેવા પ્રમાણે દેશભરમાં એવી ભૂલભરેલી માન્યતા છે કે વેક્સિન લીધા પછી એ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગતો નથી. બીજી ભૂલભરેલી માન્યતા એ છે કે વેક્સિન લીધા પછી એ વ્યક્તિથી બીજા કોઈને કોરોનાનો ચેપ લાગતો નથી. આ બંને ધારણાં જૂઠી છે. ડો.સત્યજીત રથે કહ્યું હતું કે, કોરોના સામેની લડતમાં વેક્સિન એક વ્યૂહરચના છે. એ એક વ્યૂહરચના કોરોનાને સદંતર હરાવવા માટે પૂરતી નથી. આ કોઈ ચમત્કારિક સમાધાન નથી. લોકોએ વેક્સિન લીધા પછી સાવધાની રાખવી જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application