Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અલ્હાબાદ હાઈકોર્ટમાં નિયુક્ત 841 સરકારી વકીલોની સેવાઓ પૂર્ણ

  • August 02, 2022 

ઉત્તરપ્રદેશ સરકારે લગભગ 850 રાજ્યનાં કાયદા અધિકારીઓ એટલે કે સરકારી વકીલોને હટાવ્યા છે. યુપી સરકારે આદેશ જાહેર કરીને કહ્યું હતું કે, અલ્હાબાદ હાઈકોર્ટમાં નિયુક્ત 841 સરકારી વકીલોની સેવાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રયાગરાજમાં જ્યાં અલ્હાબાદ હાઈકોર્ટની મુખ્ય બેંચમાંથી 505 રાજ્ય કાયદા અધિકારીઓને દૂર કરવામાં આવ્યા હતા અને સાથે જ હાઈકોર્ટની મુખ્ય બેંચમાંથી 336 સરકારી વકીલોને છૂટા કરવામાં આવ્યા છે. રાજ્યના કાયદા અને ન્યાય વિભાગના વિશેષ સચિવ નિકુંજ મિત્તલ તરફથી આ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.




આ આદેશ અનુસાર, અલ્હાબાદ હાઈકોર્ટના એડિશનલ એડવોકેટ જનરલ વિનોદ કાંતને પણ હટાવવામાં આવ્યા છે. આ સાથે પ્રયાગરાજની પ્રિન્સિપલ બેંચમાં 26 એડિશનલ ચીફ પરમેનન્ટ એડવોકેટ્સને હટાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, 179 કાયમી એડવોકેટ્સને પણ છૂટા કરવામાં આવ્યા છે જ્યારે 111 બ્રીફ હોલ્ડર સિવિલની સેવાઓ પૂર્ણ કરવામાં આવી છે. ગુનાહિત પક્ષના 141 સંક્ષિપ્ત ધારકોને હટાવામાં આવ્યા હતા જ્યારે 47 વધારાના સરકારી વકીલોને પણ રજા આપવામાં આવી છે.




આદેશ અનુસાર, લખનૌ બેંચની બે મુખ્ય સ્થાયી પરિષદની સેવા સમાપ્ત કરવામાં આવી છે. આ સાથે 33 અધિક સરકારી વકીલોને પણ હટાવવામાં આવ્યા છે. લખનૌ બેંચના ગુનાહિત પક્ષના 66 સંક્ષિપ્ત ધારકોને પણ દૂર કરવામાં આવ્યા છે. આ સિવાય 176 સિવિલ બ્રીફ ધારકોને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે. આ આદેશમાં 59 એડિશનલ ચીફ સ્ટેન્ડિંગ કાઉન્સિલ અને સ્ટેન્ડિંગ કાઉન્સિલને હટાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.




કહેવામાં આવી રહ્યું છે કે, જાહેર કરાયેલા આદેશ પત્રમાં હટાવવાનું કારણ જણાવવામાં આવ્યું નથી પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે પ્રર્ફોમન્સના આધારે આ તમામની સેવાઓ સમાપ્ત કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં આ પદો પર અન્ય વકીલોની નિમણૂક કરવામાં આવશે. નવી નિમણૂકો દ્વારા જ સરકાર હવે નવા વકીલોને જોડવાનો પ્રયાસ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application