Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગંભીર અકસ્માત : 3 વાહનોની ભીષણ અથડામણમાં 15 મજૂરોનાં મોત, 40 ઈજાગ્રસ્ત

  • October 22, 2022 

મધ્યપ્રદેશનાં રીવા જિલ્લાનાં સોહાગી પહાડમાં મોડી રાત્રે માર્ગ દુર્ઘટના ઘટી. જેમાં 3 વાહનોની ભીષણ અથડામણથી લગભગ 15 મજૂરોનાં મોત નીપજ્યા હતા, જ્યારે 40 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. આ ઘટના એમપી-યુપીની સરહદને જોડનારા નેશનલ હાઈવે 30 પર થઈ છે. આ તમામ મજૂર દિવાળી મનાવવા ઘરે જઈ રહ્યા હતા. ઘટનાની જાણકારી મળ્યા બાદ સોહાગી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પોલીસે રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને બસમાં ફસાયેલા મુસાફરને બહાર નીકાળ્યા.




જોકે ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને ત્યોંથર સિવિલ હોસ્પિટલની સાથે જ રીવાના સંજય ગાંધી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના ગતરોજ રાતની છે. બસ જબલપુરથી રીવાના માર્ગે પ્રયાગરાજ જઈ રહી હતી. દિવાળીની ખુશીઓ મનાવવા સિકંદરાબાદથી બસમાં સવાર થઈને મુસાફર પોતાના ઘરે લખનૌ જઈ રહ્યા હતા. દરમિયાન પહેલા બસ કટની પહોંચી. બસમાં લખનૌ માટે કટનીથી વધુ મુસાફર ભરવામાં આવ્યા.




ત્યારબાદ બસ મુસાફરને લઈને ઉત્તરપ્રદેશનાં લખનૌ માટે રવાના થઈ બસ રીવાના સોહાગી પહાડમાં પહોંચી અનિયંત્રિત થઈને ટ્રસ સાથે અથડાઈ ગઈ. ટક્કર લાગતા જ બસ પલટી ગઈ. દરમિયાન બસના બોનટ અને આગળની સીટ પર બેસેલા તમામ મુસાફરના મોત નીપજ્યા. અકસ્માતની જાણ થતા મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુ:ખ વ્યક્ત કર્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application