સુરત શહેરના વરાછા વિસ્તારમાં ઘનશ્યામનગરમાં તેલના હોલસેલર વેપારીને ત્યાં કામ કરતા સાળા બનેવીએ લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો જેમાં વેપારીનો વિશ્વાસ કેળવી એક બાદ એક તેલના ડબ્બાની ચોરી કરી નાસી ગયા હતા જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.
સુરતમાં વરાછામાં હોલસેલર તેલના વેપારીને ત્યાં નોકરી કરતા સાળા-બનેવીએ 7.10 લાખના તેલના ડબ્બા અને અન્ય ખાદ્યસામગ્રી મળી 7.52 લાખની ચોરી કરી ફરાર થયા ગયા છે..વરાછામાં એલએચ રોડ પર જોલી એન્કલેવમાં રહેતા તેલના અને ખાદ્યસામગ્રીના હોલસેલ વેપારી હરેશભાઈ રાજાને ત્યાં 2013થી 2016 સુધી કિશોર તૈલી કામ કરતો હતો. પછી કિશોરે નોકરી છોડી તેના સાળા નરેશ તૈલીને નોકરી પર મુકી ગયો હતો.
નરેશ પાસે ગોડાઉન અને દુકાનની ચાવી રહેતી હતી. બન્ને ચોરોએ 22મી જુલાઇથી 30મી જુલાઇ સુધી રૂ.2,11 લાખના 94 તેલના ડબ્બાની ચોરી કરી હતી. જેમાં વેપારીને 2.11 લાખ રૂપિયા આપી દેતા સમાધાન થયું હતું.પછી વેપારીએ છેલ્લા 60 દિવસના સીસીટીવી કેમેરા ચેક કર્યા જેમાં આ બંને આરોપીએ આગાવ 7 લાખથી વધુના 300 થી વધુ તેલ ના ડબ્બા ચોરી કર્યા હોવાનું જાણ થતાં સમગ્ર મામલે સીસીટીવી આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500