Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હાઈકોર્ટના સરકારને આદેશ બાદ રેલી,સરઘસ અને સભાઓ માટે નિયમો જાહેર કરાશે

  • April 29, 2023 

સરકારે એફિડેવિટમાં કહ્યું છે કે રેલી,સરઘસ અને સભાઓ માટે પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. અરજદારની માંગ પર હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો હતો. રેલી સરઘસ અને સભા માટે જવાબ રજૂ કરવા માટે દિશાનિર્દેશ અપાયો હતો ત્યારે આ મામલે નિયમો જાહેર કરાશે.


આ અરજદારની માગ પર હાઈકોર્ટે આ મામલે સરકારને નિર્દેશ કર્યો હતો ત્યારે આ મામલે નિયમો જાહેર થતા રેલી,સભા અને સરઘસો અંગેનું જાહેરનામું પેપર અને મીડિયામાં પ્રસિદ્ધ કરવા નિર્દેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવ્યો છે. આ સાથે હાઈકોર્ટે રાજ્ય સરકારને ઓગસ્ટ મહિના સુધીમાં વધારાનું સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો છે.આ મામલે વધુ સુનાવણી હાઈકોર્ટમાં 21 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.ખાસ કરીને અગાઉ રેલીઓમાં થયેલા પથ્થરમારા મામલે તેમજ થયેલી હિંસાના મામલે અરજદાર તરફથી આ મામલે કેટલાક સુરક્ષાને લગતી બાબતોને લઈને અરજી કરાઈ હતી ત્યારે આ મામલે નિયમો સાથે રાજ્ય સરકાર તરફથી જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. અગાઉ ગુજરાતમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન રેલીઓ, સરઘસો દરમિયાન પથ્થરમારા સહીતની ઘટનાઓ બની રહી છે. ત્યારે વીડિયો કોન્ફરન્સિંગ સહીતની વ્યવસ્થા રેલીઓ દરમિયાન હોવા મામલે હાઈકોર્ટ તરફથી ટકોર કરાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News