Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષપણા હેઠળ સોનગઢ ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો

  • November 12, 2021 

સોનગઢના ગુણસદા ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં આજરોજ યોજાયો હતો.

 

 

 


તાપીના સોનગઢ ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્ય મંત્રી, પ્રદેશ અધ્યક્ષ, વિવિધ વિભાગના મંત્રીઓ , સંગઠન મહામંત્રી, પ્રભારી મંત્રી, સંગઠન જિલ્લા પ્રમુખ જયરામ ગામીત સહિત માજી ધારાસભ્યો સુમુલ અને સુરત ડિસ્ટ્રીકટ બેન્કના સહકારી આગેવાનો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

 

 

 

આ પ્રસંગે મજબૂત સંગઠનની રચના દ્વારા આવનાર ચૂંટણીઓને સર કરવાની પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે હાકલ કરી હતી અને સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની પણ વાતો કરી હતી. સાથે મુખ્ય મંત્રી દ્વારા જિલ્લા સેવા સદન નજીક ભગવાન બિરસા મુંડા સર્કલની પ્રતિમાનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

 

 

 

 

મુખ્ય મંત્રીએ જણાવ્યું કે સરકાર અને સંગઠન સાથે મળીને કામ કરવાનું આહવાન કર્યું હતું. આ વેળાએ મીડિયાને પોતાનો અભિપ્રાય આપવાનું મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલએ ટાળ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News