Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી ચોરટાઓ ફરાર

  • August 13, 2021 

રાજપીપળાના કરજણ કોલોનીના એક બ્લોકના ત્રણ રૂમનાં તાળા તોડી તસકરો 1.45 લાખ ચોરી કરી ફરાર થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાડિયા ગામે કરજણ કોલોનીમાં કેટેગરી-3 બ્લોક-એ રૂમ નંબર-11માં રહેતા અવિચલદાસ રતિલાલ તડવી જે બહાર ગયા હતા તે સમય દરમિયાન તેમના રૂમનું તાળું તોડી તસ્કરો મકાનમાં ઘુસીને સોના-ચાંદીનાનાં ઘરેણા જેની કીંમત રૂપિયા 1.45 લાખ હતી. જયારે તેઓની નજીક રહેતા સાહેદ જયપાલસિંહ પુવારસિંહ બાપુ તેમજ રૂમ નંબર-8માં રહેતા નીલેશ મોહનના મકાનનું પણ તાળું તોડ્યું હતું પરંતુ કોઈ વસ્તુ ચોરાઈ ના હતી. બનાવ અંગે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોરની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application