Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આણંદ જિલ્લામાં આજરોજ જનસેવા કેન્દ્રો ચાલુ રહેશે

  • May 19, 2024 

શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ 10 અને 12નાં પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેને લઈ વિદ્યાર્થીઓને શાળા, કોલેજોમાં પ્રવેશ માટે આવકના દાખલા, જાતિના દાખલા તેમજ અન્ય નાગરિકલક્ષી સેવાઓ જનસેવા કેન્દ્રો ખાતેથી પૂરી પાડવા આણંદ જિલ્લા કલેક્ટરે રવિવારે જનસેવા કેન્દ્રો ચાલુ રાખવા તાકીદ કરી છે. આણંદ જિલ્લા કલેકટર દ્વારા તારીખ 19/05/2024ના રવિવાર જાહેર રજાના દિવસે જિલ્લાના તાલુકા મથકો ખાતેના જનસેવા કેન્દ્ર સવારે 10.30 કલાકથી સાંજના 6.10 કલાક સુધી ચાલુ રાખવા માટે જણાવ્યું છે. જિલ્લાના નાગરિકોને નાગરિકલક્ષી સેવાઓ જનસેવા કેન્દ્ર ખાતેથી મળી રહે ઉપરાંત ધોરણ 10 અને ધોરણ 12નાં પરિણામો પછી આવકના અને જાતિના દાખલા સમયસર વિદ્યાર્થીઓને મળી રહે તે માટે રજાના દિવસે પણ જનસેવા કેન્દ્ર ચાલુ રહેશે તેમ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application