Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મરાઠી લોકપ્રિય અભિનેતા અને કોમેડિયન સંતોષ ચોરડિયાનું નિધન, મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યુ

  • December 14, 2023 

મરાઠીના લોકપ્રિય અભિનેતા અને કોમેડિયન સંતોષ ચોરડિયાનું નિધન થઈ ગયુ છે. તેમના નિધનથી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. અભિનેતાનું નિધન હાર્ટ એટેકના કારણે થયુ છે. સંતોષ ચોરડિયા અભિનયની સાથે-સાથે સમાજસેવા પણ કરતા હતા. આ સાથે જ અભિનેતા રાજકારણમાં પણ ખૂબ સક્રિય હતા. સંતોષે એઈડ્સથી પીડિત વૃદ્ધો અને દર્દીઓમાં ખુશી ફેલાવવાનું કામ કર્યું છે. અભિનેતા પોતાની કલાની સાથે-સાથે સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાવવા માટે જાણીતા હતા.




અભિનેતાના આકસ્મિક નિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર ઘણા દિગ્ગજ સ્ટાર્સ સંતોષને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અભિનેતાના પરિવારમાં એક ભાઈ, એક પુત્ર અજિંક્ય અને પુત્રી અપૂર્વા છે. સંતોષ છેલ્લા 38 વર્ષથી ટેલિવિઝન, ફિલ્મો અને થિયેટરમાં કામ કરી રહ્યો હતો. જીના ઈસી કા નામ અને ફૂલ 2 ધમાલ તેમના લોકપ્રિય શોમાંથી એક છે. દર્શકોને અભિનેતાના આ શો ઘણા પસંદ કર્યા હતા.સંતોષે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પોતાની કલાનો પરચમ લહેરાવ્યો છે અને ઘણી પ્રશંસા મેળવી છે. અભિનેતાએ 15 હજારથી વધુ થિયેટરોમાં પણ કામ કર્યું છે. અભિનેતાના નિધનના સમાચાર વાયરલ થતાં જ ચાહકો સોશિયલ મીડિયામાં તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application