Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સતત વરસાદ વચ્ચે વરુણાવત પર્વત પરથી ફરી ભૂસ્ખલન થતાં લોકો ઘર છોડીને બહાર દોડી ગયા

  • September 04, 2024 

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સતત વરસાદ વચ્ચે વરુણાવત પર્વત પરથી ફરી ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનનો અવાજ સાંભળીને લોકો ડરી ગયા હતા. આવાજ એટલો જોરદાર હતો કે લોકો ઘર છોડીને બહાર દોડી ગયા હતા. વરુણાવત પર્વત પર 45 મિનિટના સમયગાળામાં પાંચ ભૂસ્ખલન થયા હતા. મસ્જિદ મોહલ્લા જલ સંસ્થાન કોલોની અને ગોફિયારા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પથ્થરો અને કાટમાળ પડવાને કારણે ગભરાટ ફેલાઈ ગયો હતો. લગભગ 50 પરિવારોએ તેમના ઘર છોડીને સલામત સ્થળોએ આશરો લીધો હતો. લગભગ 50 પરિવારોએ તેમના ઘર છોડીને સલામત સ્થળોએ આશરો લીધો. ઘટનાની માહિતી મળતા જ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સક્રિય થઈ ગયું હતું.


જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી દેવેન્દ્ર પટવાલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રઝા અબ્બાસ, નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ બ્રિજેશ કુમાર તિવારી, તાત્કાલિક જિલ્લા ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટર પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વરુણાવત પર્વત અસી અને વરુણા નદીઓ વચ્ચે આવેલું છે. વરુણાવત પર્વત પૌરાણિક મંદિર અને પંચકોસી વારુણી યાત્રા માટે પ્રખ્યાત છે. વર્ષ 2003માં અહી વિનાશક ભૂસ્ખલન થયું હતું. તે સમયે પર્વત પર મસ્જિદ વિસ્તાર સહિત ગોફિયારા વિસ્તાર, તંબાખાની રોડ અને ભટવાડી રોડ પરની અનેક બહુમાળી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. ત્યારબાદ મોટી વસ્તીને જોખમી વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી હતી. હવે લગભગ 21 વર્ષ બાદ વરુણાવત પર્વત પર ફરી ભૂસ્ખલન થવાના કારણે લોકો ફરી ડરી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application