Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાજીપુરા નેશનલ હાઇવે માર્ગ ઉપર વાહન અડફેટે રાહદારીનું મોત

  • August 21, 2022 

વાલોડના બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ ઉપર અજાણ્યા વાહન અડફેટે રાહદારીનું મોત નીપજયું હોવાનો બનાવ વાલોડ પોલીસ મથકે નોંધાયો છે. 




મળતી માહિતી અનુસાર વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ નંબર ૫૩ ઉપર તા.૧૯મી ઓગસ્ટ નારોજ કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુર ઝડપમાં અને ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તે ચાલતો અજાણ્યો પુરૂષ ઇસમને અડફેટમાં લઇ ટ્ક્કર મારતા અજાણ્યા શખ્સને માથાના ભાગે તથા શરીરે ગંભીર પહોચતા તેનું સ્થળ ઉપર મોત નિપજ્યું હતું, જોકે અજાણ્યો વાહન ચાલક પોતાનું કબ્જાનું વાહન લઇ નાસી છુટ્યો હતો.



ઘટના સ્થળ પર પહોચેલી પોલીસના જણાવ્યા અનુસાર મૃતક અજાણ્યો પુરૂષ ઇસમ જેની ઉ.વ.આશરે ૪૦ થી ૪૫ જેનું નામ-સરનામું જણાઇ આવેલ નથી. શરીરે મધ્યમ બાંધાનો રંગે ઘઉ વર્ણનો જેણે શરીરે બ્રાઉન કલરનું લાંબી બાયનું ટી શર્ટ તથા લીલા કલરનું હાફ ટ્રેક પેન્ટ પહેરેલ છે. હોવાનું જણાવ્યું હતું.બનાવ અંગે વાલોડના બાજીપુરા ગામના ગાંધી ફળીયામાં રહેતા અલ્પેશભાઇ બાબરભાઇ ચૌધરીની ફરિયાદના આધારે પોલીસે બનાવ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application