Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાહનો પર બાળકોને લઇ ફરતા વાલીઓ જરૂર વાંચે : પૌત્રને ઝોકું આવ્યું, તેને પકડવા જતા દાદાએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા પલટી, પૌત્રનું મોત

  • September 27, 2022 

વ્યારાના દડકવાણ ગામના માર્ગ પર એક ઘાસ ભરેલી રીક્ષા પલટી થઇ જતા રીક્ષા ચાલક દાદાના ખોળામાં બેસેલો પૌત્રનું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું હોવાનો બનાવ વ્યારા પોલીસ મથકે નોંધાયો છે.





મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના માલોઠા ગામના નવી વસાહત ફળીયામાં પરિવાર સાથે રેહતો ફરીયાદી દિવ્યેશભાઈ અશોકભાઈ ચૌધરી (ઉ.વ.૨૮) નાનો ૧૮ માસનો પુત્ર મિહિરકુમાર દિવ્યેશભાઈ ચૌધરી, સોમવારે બપોરે આશરે ૧૨ કલાકના અરસામાં રડતો હોય તે વખતે (દાદા) અશોકભાઈ ચૌધરી રીક્ષા નંબર જીજે/૧૫/એયુ/૫૪૮૫ ની લઈને ખેતરે ઘાસચારો લેવા જઈ રહ્યા હતા જોકે મિહિરકુમાર રડતો હોવાથી તેને પણ સાથે લઇ ગયા હતા, ખેતરેથી રીક્ષામાં ઘાસચારો લઇ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન વ્યારાના દડકવાણ ગામના માર્ગ પરથી પસાર થતા રીક્ષા ચાલવતા દાદાના ખોળામાં બેસેલો પૌત્ર મિહિરને એકાએક ઝોકું આવતા દાદાએ તેને પકડવાના પ્રયાસ કર્યો હતો.




દાદાએ રીક્ષાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલટી થઇ

જોકે તે દરમિયાન દાદાએ રીક્ષાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલટી થઇ હતી, રીક્ષામાંથી રોડ પર પટકાયેલા મિહિરના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો,જોકે ફરજ પરના તબીબે મિહિરકુમારને મૃત જાહેર કર્યો હતો, ઘટનાને લઇ પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. બનાવ અંગે મૃતક મિહિરના પિતા દિવ્યેશભાઈ ચૌધરીની ફરિયાદના આધારે વ્યારા પોલીસે રીક્ષા દાદા અશોકભાઈ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application