Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં તાતીથૈયા ગામે પરણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • May 02, 2024 

પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામની રાજમંદિર સોસાયટીમાં પરણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જોકે પતિ સાથે રસોઈ બાબતે ઝઘડો થતાં પરણીતાને ખરાબ લાગી આવ્યું હોય જેથી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. મળતી માહિતી મુજબ, મૂળ બિહારનાં જહાનાબાદ જિલ્લાનાં સેવનદ ગામનો રંજીતકુમારસિંહ હાલ પલસાણા તાલુકાનાં તાતીથૈયા રાજમંદિર સોસાયટીમાં અશોકભાઈ પાલના મકાનમાં પત્ની સુનિતાકુમારી સાથે રહે છે. જોકે સાંજે પત્ની સુનિતાકુમારીએ રૂમમાં પંખાના સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પત્નીને પતિ સાથે રસોઈ બનાવવા બાબતે ઝઘડો થયો હતો આથી તેને ખરાબ લાવી આવતા આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application