Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારષ્ટ્રમાં કન્જન્કટીવાઈટીસનાં 39 હજારથી વધુ કેસ : સૌથી વધુ પુણેમાં 7,871 કેસ નોંધાયા

  • July 31, 2023 

મહારષ્ટ્રમાં કન્જન્કટીવાઈટીસનાં 39,426 કેસ નોંધાઈ ચૂક્યા હોવાથી સરકારે જિલ્લા પ્રશાસનોને જાપ્તો વધુ સઘન બનાવવા સાવધ કર્યો છે. પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટનાં જણાવવા મુજબ મોટા ભાગનાં  કેસ અડેનો વાયરસથી થતા વાયરલ કન્જકન્ટીવાઈટિસના છે. જોકે મુંબઈ મહાપાલિકાએ એમ જણાવતો એલર્ટ ઈસ્યુ કર્યો હતો કે, મુંબઈમાં આંખની આ બિમારીનો રોગચાળો ફાટી નીકળ્યો હોવા છતાં બદાએ સાવચેતી વર્તવી જોઈએ. પુણેમાં 7871 કેસ નોંધાયા હોવાથી એ મહારાષ્ટ્રનો સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો છે. મંદિરોનાં નજર આ બંદીમાં નેત્રરોગનો ઉપદ્રવ ફેલાતા પુણેમાં કન્જકન્ટીવાઈટિસનાં કેસમાં ઉછાળો આવ્યો હતો.



ગયા સપ્તાહથી આજ સુધીમાં આળંદીમાં નેત્રરોગનો ઉપદ્રવ ફેલાતા પુણેમાં કન્જેન્કટીવાઈટિસનાં કેસમાં ઉછાળો આવ્યો હતો. ગયા સપ્તાહથી આજ સુધીમાં આળંદી અને એને અડીને આવેલા ખેડ તાલુકાનાં બે ગામોમાં કન્જન્કટીવાઈટિસનાં 2500 વધુ દર્દીઓ નોંધાયા હતા. વીક એન્ડ સ્ક્રીનિંગ પ્રોસેસ જારી રહેતાં હેલ્થ ડિપાર્ટમેન્ટ 200 નવા કેસ નોંધ્યા હતા એને પગલે સ્કૂલોમાં સ્ક્રીનિંગ અભિયાન હાથ ધરાતા વધુ કેસો બહાર આવ્યા હતા. જયારે રાજ્યનાં સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, વરસાદ અને બીજા મોસમી કારણોસર કેસ વધી ગયા છે. પુણે બાદ બુલઢાણા કન્જકન્ટીવાઈટિસનાં 6993 કેસ સાથે બીજા નંબર પર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application