Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરનાં વ્યાવલ ગામે કરંટ લાગતાં એક લાઇન મેનનું મોત, એક સારવાર હેઠળ

  • May 15, 2024 

નિઝરનાં વ્યાવલ ગામે ખુલ્લા ખેતરમાં સિમેન્ટનો વીજ પોલનો થાંભલો તૂટી ગયો હતો. જેથી પાવર સપ્લાય બંધ કરી તેના પર વાયર નાંખી વીજ કંપનીનાં બે લાઈન મેન થાંભલો નીચે ઉતારી રહ્યા હતા તે સમયે સપ્લાય બંધ હોવા છતાં કરંટ લાગતા બંને લાઈન મેનને નિઝર સરકારી દવાખાને લઈ જવાતા મુબારકપુર ગામે રહેતા એક લાઇન મેનનું મોત નિપજ્યું હતું.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નિઝર તાલુકાનાં વ્યાવલ ગામની સીમમાં ખુલ્લા ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન પર સિમેન્ટનો એક થાંભલો ઉપરથી તૂટી ગયો હતો જેથી નિઝર વિજ કંપનીનો સ્ટાફ બપોરે કામગીરી માટે ગયો હતો અને થાંભલા પરની બીજ લાઇનનો પાવર સપ્લાય બંધ કરીને હસમુખભાઈ કાશીનાથભાઈ પટેલ (રહે.મુબારકપુર, તા.નિઝર) અને મીતભાઈ સુરેશભાઈ પટેલ (રહે.66 કેવી જીઈબી કોલોની, નિઝર) બંને ઉપર ચડ્યા હતા અને બંધ લાઈન પર સર્વિસ વાયર ઉપર નાંખી થાંભલો નીચે ઉતારી રહ્યા હતા તે સમયે પાવર સપ્લાય બંધ હોવા છતાં કોઈ કારણે બંને લાઈન મેનને કરંટ લાગ્યો હતો. જેથી તાત્કાલિક સરકારી બોલેરો જીપમાં બંનેને બેસાડી નિઝર સરકારી દવાખાને લાવતા હસમુખભાઈ પટેલનું મોત નિપજ્યું હતું જ્યારે મિત પટેલ સારવાર હેઠળ હોય લાઈન ઇન્સ્પેક્ટર મહેન્દ્રભાઈ રામચંદ્રભાઇ સોનવાણેએ નિઝર પોલીસ મથકે અકસ્માત મોતની જાહેરાત આપી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application