Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૨મી જન્મજયંતી નિમિતે ગુજરાત વિધાનસભા સચિવે પુષ્પાંજલિ અર્પણ કરી

  • February 23, 2024 

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૨મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ શ્રી ડી.એમ.પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આઝાદીની ચળવળમાં ‘ઇન્દુચાચા’એ અમૂલ્ય યોગદાન આપ્યું હતું. ઇન્દુચાચાએ મહાગુજરાત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ઈન્દુલાલ યાજ્ઞિક સાદગીને વરેલા નિઃસ્પૃહ, લોકપ્રિય, સંઘર્ષશીલ અને સક્રિય નેતા હોવાની સાથે પત્રકાર અને સાહિત્યકાર પણ હતા. ઇન્દુચાચાએ સાહિત્યમાં આપેલા યોગદાનના કારણે તેમને નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનીત કરવામાં આવ્યા હતા. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application