Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આંબાવાડીમાં જવાનાં રસ્તા બાબતે અદાવત રાખી બે પરિવાર વચ્ચે ઝઘડો

  • May 27, 2022 

નવસારીનાં જલાલપોરમાં રહેતા અમૃતભાઈ બળવંતભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ભાઈ નરેન્દ્રભાઈ આંબાવાડીમાં ગયા હતા. તે દરમિયાન મહોલ્લાના જ વીપીન રતિલાલ, તેમના પત્ની વાસંતીબેન અને પુત્ર ધર્મેશભાઈ તેમના ભાઈને આંબાવાડીમાં આવવા જવાના મુદ્દે બોલાચાલી થતા વીપીન પટેલ અને તેમના પરિવાર દ્વારા એકસંપ થઈ કુહાડી વડે હુમલો કર્યો હતો અને તેઓએ નરેન્દ્રભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કુહાડી વડે હુમલો કરાતા નરેન્દ્રભાઈને ઈજા પહોંચતા ચાર ટાંકા આવ્યા હતા.




જયારે સામા પક્ષે વાસંતીબેન વીપીનભાઈ પટેલે ફરિયાદ આપતા જણાવ્યું કે, અમૃતભાઈ બળવંત અને તેમનો ભાઈ નરેન્દ્રભાઈ તેમની સાથે તેમના પતિ અને પુત્ર સાથે આંબાવાડીમાં જવાના રસ્તા બાબતે અદાવત હોય બોલાચાલી કરી હતી અને તેમના હાથમાંથી કુહાડી ખેંચવા જતા તેમને હાથમાં સામાન્ય ઇજા થઇ હતી. બનાવ અંગે અમૃતભાઈ અને નરેન્દ્રભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application