Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જર્જરિત ઓરડાને કારણે વિધાર્થીઓએ ઓટલે બેસીને અભ્યાસ કરવો પડ્યો

  • September 14, 2021 

નર્મદાના ડેડિયાપાડા તાલુકા મથકેથી પાંચ કિમીના અંતરે આવેલી ખુરદી ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડાને કારણે વિધાર્થીઓને ચોમાસા દરમિયાન ઓટલે બેસીને અભ્યાસ કરવો પડે છે. 180 બાળકોની સંખ્યા ધરાવતી શાળામાં આવેલા જુના ઓરડા 2004માં બન્યા બાદ જર્જરિત બનતા છતમાંથી પાણી ટપકતાં વિદ્યાર્થીઓ અંદર ન બેસી શકે તેવી સ્થિતિ સર્જાઇ છે. શાળામાં શિક્ષકો નિયમિત આવે છે પરંતુ ભૌતિક સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ નથી આપી શકતાં. ચોમાસા દરમિયાન ગામના અન્ય ઘરમાં વિદ્યાર્થીઓને બેસાડી શિક્ષણ કાર્ય કરવામાં આવે છે.

 

 

 

 

 

જયારે ગામના લોકો અને શાળાના શિક્ષકો દ્વારા અનેકવાર રજુઆત કરવા છતાં વર્ષોથી જર્જરિત હાલતમાં આવેલા શાળાની ઇમારત ન બનતા વિદ્યાર્થીના વાલીઓ ચિંતામાં મુકાયા છે. ગતરોજ બપોરે શાળા સમયે જર્જરિત કમ્પાઉન્ડ વોલ ધરાશયી થયો હતો. જોકે, કોવિડને કારણે માત્ર ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓ હાજર હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી. વધુમાં આ સદર્ભે શિક્ષણ વિભાગ જલ્દી કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application