Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાળીયેરના ઝાડ ઉપરથી નીચે પટકાયેલા ઈસમનું મોત

  • August 03, 2021 

નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાનાં ધારીખેડા ગામમાં નાળીયેરના ઝાડ ઉપરથી નીચે પટકાયેલા ઈસમનું મોત નીપજતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ધારીખેડા ગામમાં રહેતા રૂપલભાઈ માધવભાઈ વસાવા (ઉ.વ.48) જે ગામના જાંબુડાવાળા વગામાં આવેલા અમૃતભાઈ પરસોત્તમભાઈ વસાવાના ખેતરના છેડા ઉપર આવેલ નાળીયેરના ઝાડ ઉપર ચઢી નાળીયેર પાડતા હતા તે સમયે આકસ્મિત રીતે ઝાડ ઉપરથી નીચે પડી જતા ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પત્ની રંજનબેન એ આમથેલા પોલીસમાં જાન કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.      


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application