Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સિદ્ધિવિનાયક મંદિર તા.12 થી 16 જાન્યુઆરી દરમિયાન બંધ રહેશે

  • January 07, 2022 

મુંબઈ સહિત વિશ્વભરના ભાવિકોનું શ્રદ્ધાસ્થાન ગણાતા સિદ્ધિવિનાયક મંદિરમાં કાયમ ભક્તોનો ધસારો જોવા મળે છે. જોકે, હાલ કોરોના સમયમાં ઓનલાઈન બુકિંગ દ્વારા દર્શનની સુવિધા આપવામાં આવી છે. તે દરમિયાન જ એવું જાણવા મળ્યું છે કે, સિદ્ધિવિનાયક મંદિર તા.12 થી 16 જાન્યુઆરી દરમિયાન બંધ રહેશે. પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક ગણેશમૂર્તિને સિંદુરલેપન કરવાનું હોવાથી બુધવાર તા.12 જાન્યુઆરીથી રવિવાર તા.16 જાન્યુઆરી સુધી આ મંદિર ભાવિકોના દર્શન માટે બંધ રહેશે તેને બદલે ભાવિકોને ગણેશ મૂર્તિની પ્રતિમાના દર્શન કરવા મળશે. સોમવાર તા.17મી જાન્યુઆરીના રોજ બપોરે એક વાગ્યાથી ભાવિકોને નિયમિતપણે મંદિરના ગર્ભમાંથી દર્શન મળશે, એવી માહિતી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરના અધિકારીઓ દ્વારા મળી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application