Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મ્યાનમારની સેના દ્વારા કરવામાં આવેલા હવાઇ હુમલામાં ગાયકો અને સંગીતકીરો સહિત 60 લોકોનાં મોત

  • October 25, 2022 

મ્યાનમારની સેના દ્વારા કરવામાં આવેલા હવાઇ હુમલામાં ગાયકો અને સંગીતકીરો સહિત 60થી વધુ લોકોનાં મોત થયા છે જે કાચિન જાતીય લઘુમતિ જૂથના મુખ્ય રાજકીય સંગઠનના એક વર્ષગાંઠ સમારંભમાં સામેલ થયા હતાં. જૂથના સભ્યો અને એક બચાવકર્મીએ આ માહિતી આપી હતી. આ હુમલા એવા સમયે થયા છે જ્યારે દક્ષિણ પૂર્વ એશિયન દેશોના વિદેશ પ્રધાનો મ્યાનમારમાં વ્યાપક હિંસા પર ચર્ચા કરવા માટે ઇન્ડોનેશિયામાં એક વિશેષ બેઠક આયોજિત કરવાના છે.




ગયા વર્ષે ફેબુ્આરીમાં સેનાના સત્તાપલટા પછી રવિવાર રાતે આયોજિત સમારંભમાં થયેલા હવાઇ હુમલામાં પ્રથમ વખત એક જ હુમલામાં આટલી મોટી સંખ્યામાં લોકોની મોતની ઘટના સામે આવી છે. ઘટનાના વિવરણને સ્વતંત્ર રીતે સમર્થન આપવું મુશ્કેલ છે. જોકે કાચિન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા મીડિયા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં હુમલા પછીના ભયાનક દ્રશ્યો જોવા મળે છે. સેના અથવા સરકારી મીડિયા તરફથી આ હુમલા અંગે તાત્કાલિક કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application