Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં કુઇદા ગામમાંથી નિવૃત મામલતદારનો 25 વર્ષીય પુત્ર ગુમ

  • March 06, 2021 

ઉચ્છલના કુઇદા ગામે રહેતા નિવૃત મામલતદારનો 25 વર્ષીય પુત્ર ગુમ થઇ ગયો હોવાનો બનાવ ઉચ્છલ પોલીસ મથકે નોંધાયો હતો.

 

 

 

મળતી માહિતી અનુસાર, ઉચ્છલ તાલુકાના કુઇદા ગામના નિશાળ ફળીયામાં રહેતા નિવૃત મામલતદાર વિજયસિંહ ગીરજીભાઈ વસાવાનો 25 વર્ષીય પુત્ર વિશાલકુમાર વિજયસિંહ વસાવા નાઓ ગત તારીખ 20મી ફેબ્રુઆરી થી તા.21મી ફેબ્રુઆરી દરમિયાન કોઈને પણ કાઈ પણ કહ્યા વગર ઘરેથી ક્યાંક ચાલી ગયેલ હોય. ગુમ થનાર વિશાલકુમાર વસાવા (ઉ.વ.25), રંગે ઘઉં વર્ણનો તેમજ મોઢું લંબગોળ છે, જેની ઉંચાઈ આશરે પાંચ ફૂટ દશ ઈંચની છે. જેણે બીએસસી સુધીનો અભ્યાસ કરેલ છે. અને તે ગુજરાતી,હિન્દી અને ગામીત,વસાવા ભાષા બોલે તથા સમજે છે. તથા શરીરે જાંબુડી કલરનું લાંબી બાયનું શર્ટ તથા રાખોડી કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે.

 

 

 

આ બનાવ અંગે ગુમ થનાર યુવકના પિતા વિજયસિંહ ગીરજીભાઈ વસાવાની ફરિયાદના આધારે ઉચ્છલ પોલીસે બનાવ દાખલ કરી યુવકની શોધખોળ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application