Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ ચિત્ર પ્રદર્શનની મંત્રી આર.સી.ફળદુએ મુલાકાત લીધી

  • March 27, 2021 

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દાંડીયાત્રા માર્ગમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો અમદાવાદ, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર અને ગુજરાત સરકારના માહિતી ખાતા ધ્વારા ભારતની આઝાદીની ગાથા અને ગુજરાતના આઝાદીના લડવૈયાઓની વિગતો વર્ણવતાં ચિત્ર પ્રદર્શનની કૃષિ, ગ્રામ વિકાસ અને વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ મુલાકાત લીધી હતી અને પ્રદર્શનનું ઝીણવટભરી રીતે નિરીક્ષણ કર્યું હતું.

 

 

 

 

આ વેળાએ મંત્રી આર.સી.ફળદુ સાથે પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયા, નગરપાલિકાના પ્રમુખ વિનયભાઇ વસાવા, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરીયા, યોગેશભાઇ પટેલ, આગેવાન પદાધિકારીઓ પણ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application