Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘માટીને નમન, વિરોને વંદન’ - વિવિધ સ્થળોએ વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત સામુહિક વૃક્ષારોપણ કરી અમૃતવાટીકાનું નિર્માણ કરાયું

  • August 13, 2023 

આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વનાં અવસરે માતૃભૂમિનાં વીરો અને રાષ્ટ્રની માટીને વંદન કરવાનાં હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આગામી 30મી ઓગસ્ટ સુધી 'મારી માટી,મારો દેશ' કાર્યક્રમ ઉજવાઇ રહ્યો છે. જેનાં ભાગરૂપે તાપી જિલ્લામાં વિવિધ સ્થળોએ શિલાફલકમ શહિત વિવિધ કાર્યક્રમો થયા હતા. જેમાં ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સાથે તાપી જિલ્લામાં પાંચ સ્તંભનાં આ કાર્યક્રમમાં શીલાફલકમ, પંચ પ્રાણ પ્રતિજ્ઞા, વીરોને વંદન અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. વિવિધ સ્થળોએ વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત સામુહિક વૃક્ષારોપણ કરી અમૃતવાટીકાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application