Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મધ્યપ્રદેશ : ઘરનાં પાંચ લોકોનો ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતાં ખળભળાટ મચી, જિલ્લા એસ.પી. ઘટના સ્થળે પહોંચ્યા

  • July 01, 2024 

મધ્યપ્રદેશનાં અલીરાજપુર જિલ્લામાં એક ઘરમાં પાંચ લોકો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. જયારે પતિ-પત્ની અને 3 બાળકોનાં મૃતદેહ મળ્યાની માહિતી મળતા જ જિલ્લાના એસ.પી. ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ હત્યા છે કે, સામૂહિક આપઘાત તે અંગે એફ.એસ.એલ. અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તે વિશે ખુલાસો થઇ શકશે. અલીરાજપુર જિલ્લાના સોંડવા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં રાવડી ગામમાં આ ઘટના બની હતી. મૃતકોના ઘરના વડા રાકેશ, તેની પત્ની લલિતા અને દીકરી લક્ષ્મી, બે દીકરા અક્ષય તથા પ્રકાશ આ ઘટનાનો ભોગ બન્યા હતા. સંબંધીઓના અહેવાલ અનુસાર સંપૂર્ણ પરિવારની હત્યા કરાઈ હોય તેવું લાગે છે. ઘટના અંગે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application