Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્ટ્રીટ લાઈટોના થાંભલાઓમાં કરંટ યુક્ત વાયરો ખુલ્લા હોવાથી જોખમ

  • September 01, 2020 

રાજપીપળા ના મુખ્ય માર્ગ એવા સ્ટેશન રોડ ઉપર આવેલા સ્ટ્રીટ લાઈટ ના પોલ નીચે વાયરો ખુલ્લા હોવાથી રાહદારીઓ માટે જોખમ રૂપ બન્યા છે.

 

રાજપીપળા ના મુખ્ય માર્ગો ઉપર નગરપાલિકા ની સ્ટ્રીટ લાઈટો ના થાંભલા પર ના મોટાભાગના ફ્યુઝ બોઝ તૂટેલી હાલત માં છે જેથી તેના ખુલ્લા વાયરો લોકો માટે જોખમી બન્યા છે વળી હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય લોખંડ ના થાંભલામાં પણ કરંટ લાગવાનો ભય રહેલો છે તો પાલિકા દ્વારા સત્વરે આ ખુલ્લા વાયરો નું સમારકામ કરાઈ તેવી લોકમાંગ ઉઠી છે.

 

હાલ થોડા દિવસ ઉપર જ પાલીકા ના એક વાયરમેન ને ભાટવાડા વિસ્તાર માં ચાલુ ફરજે કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી હતી તે બાબત બાદ પાલીકાના સત્તાધીશો એ શીખ લઈ આવી ઘટના અન્ય કોઈ બહાર ના વ્યકતિ કે બાળક સાથે ન બને એ માટે લટકતા આવા જોખમી વાયરો તેમજ અન્ય બાબત ગંભીરતા થી લઈ પ્રજા હિતમાં યોગ્ય કરવા જરૂરી છે.(ભરત શાહ દ્વારા,રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application